Homeક્રિકેટT20માં ટીમ ઈન્ડિયાનો શું...

T20માં ટીમ ઈન્ડિયાનો શું છે પ્લાન? જીત બાદ સુર્યાએ ખોલ્યું રાજ

ભારતની સાઉથ આફ્રિકા સામે એકતરફી જીત
આ મેચમાં સૂર્યકુમાર યાદવ ‘પ્લેયર ઓફ ધ મેચ’
આ સિરીઝમાં ભારતીય કેપ્ટન ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો સફળતાપૂર્વક અંત આવ્યો છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને જીત સાથે સિરીઝ 1-1થી બરાબર કરી હતી.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 55 બોલમાં 7 ફોર અને 8 સિકસ મદદથી સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં જીતનો સંતોષ કેપ્ટનના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

મેચ બાદ સૂર્યાનું નિવેદન

મેચ બાદ વાત કરતા સૂર્યાએ કહ્યું, ‘મેચ જીતવી હંમેશા સુખદ હોય છે. જો તમે પણ સદી ફટકારીને ટીમને જીતાડો છો તો ખુશી બમણી થઇ જાય છે. સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું, ‘અમારો વિચાર કોઈપણ ડર વિના આક્રમક ક્રિકેટ રમવાનો છે. મેચ પહેલા અમે એક પ્લાન બનાવ્યો હતો કે પહેલા બેટિંગ કરીને સારો સ્કોર બનાવીએ અને પછી તેનો સફળતાપૂર્વક બચાવ કરીએ. ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, ‘સાથી ખેલાડીઓએ આ મેચ માટે ઘણી મહેનત કરી હતી અને તે મેદાન પર દેખાઈ રહી હતી. કુલદીપ યાદવને હંમેશા વિકેટ લેવાની ભૂખ હોય છે. તેના જન્મદિવસ પર તેણે શાનદાર પ્રદર્શન કરીને પોતાને એક મોટી ભેટ આપી છે.

સૂર્યાએ ઈજા અંગ માહિતી આપી

પોતાની ઈજા વિશે માહિતી શેર કરતાં તેણે કહ્યું કે તે ઠીક છે અને ટૂંક સમયમાં તેની અગાઉની ફિટનેસ પાછી મેળવી લેશે. તેણે કહ્યું, ‘જો હું ચાલી શકતો હોઉં તો તેનો અર્થ એ કે હું ઠીક છું.’ સૂર્યકુમાર યાદવને ત્રીજી T20 મેચ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર સિરીઝ દરમિયાન તેના શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

ભારતની સાઉથ આફ્રિકા સામે એકતરફી જીત

સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20માં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલે 6 ફોર અને 3 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા. લક્ષ્‍યનો પીછો કરતા ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાને 95 રનમાં ઓલઆઉટ કરી 106 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...