સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર કેશવ મહારાજે ખુલાસો કર્યો છે કે ભારત સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન જ્યારે તેઓ બેટિંગ કરવા આવ્યા ત્યારે ‘રામ સિયારામ’ ગીત કેમ વગાડવામાં આવ્યું હતું.
કેશવ મહારાજના કહેવા પ્રમાણે, તેણે પોતે ડીજે વાળાને કહ્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા આવે ત્યારે ‘રામ સિયારામ’ ગીત વગાડવું જોઈએ. કેશવ મહારાજે તેની પાછળ મોટું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે આ તેને તેના ઝોનમાં આવવા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
‘રામ સિયારામ’ ગીત વગાડવામાં
વાસ્તવમાં કેશવ મહારાજ જ્યારે પણ બેટિંગ કરવા આવતા ત્યારે ‘રામ સિયારામ’ ગીત ચોક્કસ વગાડવામાં આવતું હતું. કેપટાઉન ટેસ્ટ મેચ દરમિયાન પણ કેશવ મહારાજની એન્ટ્રી પર ‘રામ સિયારામ’ ગીત વગાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ભગવાન શ્રી રામની શૈલીમાં ધનુષ્ય ચલાવતા જોવા મળ્યા હતા. વિરાટ પહેલા ભગવાન રામની જેમ ધનુષ વડે પોઝ આપતો અને પછી હાથ જોડીને પ્રણામ કરતા જોવા મળ્યો હતો.
ભગવાન રામે મને ખૂબ આશીર્વાદ આપ્યા છે – કેશવ મહારાજ
અગાઉ કેએલ રાહુલે પણ કેશવ મહારાજને કહ્યું હતું કે તેઓ આવે ત્યારે ‘રામ સિયારામ’ કેમ વગાડવામાં આવે છે. હવે કેશવ મહારાજે આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ ગીત વગાડવા માટે તેમણે પોતે જ વિનંતી કરી હતી. એક અહેવાલ અનુસાર કેશવ મહારાજે જણાવ્યું કે, મે જ ડીજે વાળાને આ ગીત વગાડવા માટે વિનંતી કરી હતી. ભગવાને મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને મુશ્કેલીમાં મને રસ્તો બતાવ્યો છે. જ્યારે હું મેદાનમાં પ્રવેશ કરુ ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત વગાડવામાં આવે છે તેથી મને ‘રામ સિયારામ’ ની ધૂન સાંભળીને આનંદ થાય છે.