અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મંદિર પરિસરની સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. એ કડીમાં જૅકી શ્રોફે અન્ય લોકો સાથે મળીને મુંબઈમાં
આવેલા રામમંદિરમાં સાફસફાઈ કરી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં દેખાય છે કે જૅકી ખૂબ લગનથી મંદિરનાં પગથિયાં સાફ કરે છે. ખૂણેખૂણા જૅકી સાફ કરે છે.
તેની સાથે મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વાઇફ અમ્રિતા ફડણવીસ પણ હાજર હતાં. તેણે પણ મંદિરમાં સાફસફાઈ કરી હતી. એ દરમ્યાન મંદિરના મુખ્ય દરવાજા બંધ કરવામાં આવ્યા હતા જ્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સોમવારે થનાર પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે જૅકી શ્રોફ તેના દીકરા ટાઇગર શ્રોફ સાથે હાજર રહેશે.