ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી
કોહલી અંગત કારણોસર સીરિઝમાં રમ્યો ન હતો
પ્રથમ વખત કોહલી ટેસ્ટ સીરિઝમાંથી થયો બહાર
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી હતી. વિરાટ કોહલી અંગત કારણોસર આ સીરિઝમાં રમ્યો ન હતો. આ પ્રથમ વખત છે જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો હોય.
ધર્મશાળા ટેસ્ટ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેવી રીતે આ સીરીઝે તેને એક અલગ કેપ્ટન બનાવ્યો છે અને આ સીરીઝમાંથી તે શીખ્યો છે કે કેવી રીતે ખેલાડીઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. હવે પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે રોહિત શર્માની કેપ્ટનશીપ વિરાટ કોહલીથી કેવી રીતે અલગ છે.
રોહિત વિરાટ કોહલીથી કેટલો અલગ છે?
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કહ્યું કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીથી અલગ છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સલાહ મળી ન હતી પરંતુ રોહિત શર્માએ સીરીઝમાં ખેલાડીઓનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો હતો. ભલે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC વર્લ્ડકપ 2023 હારી ગઈ હોય, પરંતુ ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટન્સીમાં સતત 5 સિરીઝ જીતી છે.
તેણે આગળ કહ્યું કે રોહિત શર્મા ક્યારેક ખૂબ જ શાંત ખેલાડી લાગે છે પરંતુ તેની બેટિંગમાં ઘણી કુશળતા અને પ્રતિભા છે. કેટલીકવાર તમને વસ્તુઓ બરાબર મળતી નથી. પરંતુ રોહિતે પોતે કહ્યું છે કે આ સિરીઝમાં તેને ઘણું શીખવા મળ્યું છે. રોહિતે જે રીતે અશ્વિનને નવા બોલથી બોલ કરાવ્યો તે ઘણો સારો હતો. મને લાગે છે કે રોહિત શર્માની કેપ્ટન્સી વિરાટ કોહલી કરતા ઓછી નથી, જ્યાં વિરાટ આક્રમક વલણ અપનાવતો હતો જ્યારે રોહિત શાંત રહીને સંપૂર્ણ કામ કરતો હતો.
રોહિતે સીરિઝમાં 2 સદી ફટકારી
સિરીઝની શરૂઆતમાં રોહિત શર્મા બેટિંગમાં થોડો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં રોહિતે સારી બેટિંગ કરી અને આ સીરિઝમાં બે શાનદાર સદી પણ ફટકારી હતી. આ સીરીઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ મેચ જીતીને સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી હતી અને સીરીઝની બાકીની ચાર મેચ જીતીને સીરીઝ 4-1થી કબજે કરી હતી. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટના ઘમંડને તોડ્યો હતો.