સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમના ખેલાડીઓ આજે રવાના થશે. ભારતીય ટીમ બેંગ્લુરુથી દુબઈ થઈ ડરબન માટે જવાનો કાર્યક્રમ છે. ભારતની પહેલી મેચ 10 ડિસેમ્બરના રોજ છે.ભારતે 10 ડિસેમ્બર 2023 થી 7 જાન્યુઆરી 2024 સુધીના આ પ્રવાસમાં તેની તમામ 8 મેચ રમવાની છે.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ બુધવારના રોજ એટલે કે આજે સાઉથ આફ્રિકા માટે રવાના થશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવાર 10 ડિસેમ્બરના રોજ ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાશે અને તેના માટે સૂર્યકુમાર યાદવના આગેવાની વાળી ભારતીય ટીમ બુધવારના રોજ રવાના થશે.
સૂર્યકુમારની સાથે કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન કોચ વિક્રમ રાઠૌડ સહિત તેના સહયોગી સ્ટાફ પર હશે.વિરાટ અને રોહિત શર્મા થોડા મોડા સાઉથ આફ્રિકા પ્રવાસ પર જશે. ત્યારે સિનીયર ખેલાડીઓ 20 ડિસેમ્બરના રોજ મેચ પહેલા ટીમમાં સામેલ થશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર કુલ47 ખેલાડીઓ પહોંચવાની આશા છે. જેમાં ટીમ ઈન્ડિયાના એ ટીમના ખેલાડીઓ પણ સામેલ છે. મુકેશ કુમાર અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ માટે આ પ્રવાસ ખુબ જ લાંબો હશે. મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ ત્રણ ફોર્મેટમાં રમવાની તક મળી શકે છે.
રવિન્દ્ર જાડેજા ટી 20 સિરીઝમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે. ટી 20 સિરીઝ બાદ સૂર્યકુમાર યાદવને બ્રેક મળશે. જો કે વનડે વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝનો પણ ભાગ હતો.
ભારતીય ટીમ અંદાજે એક મહિના સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. આ દરમિયાન ત્રણ ફોર્મેટમાં રમતી જોવા મળશે. પરંતુ ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીની ઈજા ચિંતાનો વિષય છે. કારણ કે, દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્વિંગ બોલરમાંથી એક મોહમ્મદ શમીને વનડે વર્લ્ડકપ બાદ ઈજા થઈ છે.