Homeક્રિકેટIND vs ENG: ટેસ્ટ...

IND vs ENG: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈશાન કિશનને ફરી એકવાર ના મળ્યું ટીમમાં સ્થાન

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે રાત્રે 12 જાન્યુઆરીએ પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મોટાભાગના ખેલાડીઓ એવા જ છે જે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમનો ભાગ હતા.

યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

જો કે, પસંદગી સમિતિએ ઉત્તર પ્રદેશના વિકેટકીપર ધ્રુવ જુરેલને તક આપીને સૌને ચોંકાવી દીધા છે, જે પહેલીવાર ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો ભાગ બનશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે, જે 11 માર્ચ સુધી ચાલશે. લાંબી શ્રેણીને ધ્યાનમાં રાખીને BCCIએ હાલમાં માત્ર પ્રથમ અને બીજી ટેસ્ટ માટે જ ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

શમી હજુ પણ ફિટ નથી, આ બે ખેલાડીઓ ડ્રોપ થયા

સિનિયર સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં જે ખેલાડીઓ હતા. તેમાંના મોટાભાગના ખેલાડીઓને રિટેન કર્યા છે. જો કે, દક્ષિણ આફ્રિકામાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પડતા મૂકવામાં આવ્યા છે. બંનેનું પ્રદર્શન સાઉથ આફ્રિકામાં અપેક્ષા મુજબનું નહોતું. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી કારણ કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે ત્રીજી ટેસ્ટમાં સામેલ થવાની આશા છે.

ઈશાનને ફરી તક ન મળી

25 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને ગયા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઈશાને માનસિક થાકને કારણે ટીમમાંથી બ્રેક લીધો હતો. આ પછી તેને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. એવી અપેક્ષા હતી કે તેને ટેસ્ટ શ્રેણીમાં તક મળી શકે છે, પરંતુ તેમ થયું નહીં અને હાલ તે ટીમ ઇન્ડિયાની બહાર રહેશે.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઈશાનની ડિસિપ્લીનને લઈને કોઈ સમસ્યા નથી. દ્રવિડે એમ પણ કહ્યું હતું કે ઈશાન ટીમમાં વાપસી કરશે પરંતુ તે પહેલા તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે અને પછી પસંદગી માટે પોતાને આવવું પડશે. હવે એ સ્પષ્ટ નથી થયું કે ઈશાને હજુ પણ પોતાને પસંદગીથી દૂર રાખ્યો છે કે BCCIએ પોતે જ તેને પસંદ કર્યો નથી. બીસીસીઆઈની પ્રેસ રિલીઝમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. શુક્રવારથી શરૂ થયેલી રણજી ટ્રોફી મેચમાં ઈશાન પોતાની ટીમ ઝારખંડ તરફથી રમ્યો નહોતો.

પ્રથમ અને બીજી ટેસ્ટ માટે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરૈલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને અવેશ ખાન.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી

25-29 જાન્યુઆરી : પ્રથમ ટેસ્ટ, હૈદરાબાદ
2-6 ફેબ્રુઆરી : બીજી ટેસ્ટ, વિશાખાપટ્ટનમ
15-19 ફેબ્રુઆરી : ત્રીજી ટેસ્ટ, રાજકોટ
23-27 ફેબ્રુઆરી : ચોથી ટેસ્ટ, રાંચી
7-11 માર્ચ : પાંચમી ટેસ્ટ, ધર્મશાલા

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...