મૌની રોય કોઈમ્બતુર ખાતે આદિયોગી શિવના સાંનિધ્યમાં પહોંચી હતી. શિવલિંગ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરતી વખતે મૌની શિવભક્તિમાં લીન જણાઈ હતી. અન્ય ભક્તો સાથે આદિયોગી શિવની આરાધના કરતી વખતે મૌનીએ પોતાના અનુભવને પણ ટૂંકમાં વર્ણવ્યો હતો. મૌનીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમાં તે કોઈમ્બતુર ખાતે આદિયોગી શિવની પ્રતિમાના દર્શન કરતી નજરે પડે છે.
બે હાથ જોડીને શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરતી અને અન્ય ભક્તો સાથે શિવભક્તિમાં લીન જણાતી મૌની આ પ્રસંગે પરંપરાગત શિવભક્ત જેવી જ લાગતી હતી. મૌની મૌનીએ દેવાધિદેવ મહાદેવની પ્રતિમાને જળ પણ ચઢાવ્યુ હતું. મૌનીએ પોતાની લાગણીને કેપ્શનમાં વ્યક્ત કરી હતી. મૌનીએ પોસ્ટમા લખ્યુ હતું, તુમ મેરે આદિ, તુમ હી મેરે અનંત, શિવ, શિવ.
મૌનીએ આદિયોગીના દર્શન બાદ અનુભવેલી ધન્યતા બદલ ઈશા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. મૌનીએ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, દર વખતની જેમ એક શાનદાર અનુભવ. મને આશ્રમ આવવાનું ગમે છે. આ મારું સુરક્ષિત સ્થાન છે અને અહીંયા રહું છું ત્યારે મને જે આનંદ મળે છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.