આજની ઝડપથી બદલાતી જીવનશૈલીમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવી પડકારજનક છે. સમયના અભાવે ઘણી વખત કસરત થઈ શકતી નથી . આવી સ્થિતિમાં, સારું સ્વાસ્થ્ય જાળવવું એક યક્ષ પ્રશ્ન બની જાય છે.
ત્યારે કુદરતી રીતે ગુણકારી એવી ખજૂર અમૃત સમાન બની રહી છે. નિષ્ણાતો કહે છે કે જો તમે દિવસની શરૂઆત ખજૂર ખાઈને કરો , તો તમે ફિટ અને ફાઈન રહેશો.
ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે.
તેનાથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર સેવનથી કબજિયાત, મેટાબોલિઝમ અને વજન ઘટે છે. આવો જાણીએ ખજૂરના ફાયદા
ખજૂરના ફાયદા
ખજૂર એક એવું ફળ છે. જેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેમાં આયર્ન, ફોલેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી-6 જેવા પોષક તત્વો હોય છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તે સ્વાદિષ્ટ અને મીઠા સ્વાદ વાળી હોય છે. ખજૂર ખાલી પેટે સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. ખજૂરમાં મળતા ફાઈબર પાચન સંબંધી સમસ્યાને દૂર કરે છે.